Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપું, મને કોઈએ કોઈ પ્રસંગમાં બોલાવવો નહીં : મોરારી બાપુ

સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક, ઉદ્દઘાટન જેવા કોઈ પણ કાર્યક્રમમાં હવે હું હાજરી નહીં આપું.

અમદાવાદ : રામકથા દ્રારા ભારત જ નહીં પણ વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એવા મોરારી બાપુએ સાંબરકાંઠાના બામણા ખાતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. મોરારી બાપુએ કહ્યું હતું કે, તેઓ આજથી કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપે.

   તેમણે તમામ પ્રસંગોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આજથી કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપું તેમજ મને કોઈ પ્રસંગમાં બોલાવવો નહીં. જે વચન આપ્યા છે એ પુરા કરીશ. સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક, ઉદ્દઘાટન જેવા કોઈ પણ કાર્યક્રમમાં હવે હું હાજરી નહીં આપું.

(11:42 am IST)