Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

માતર તાલુકાના ત્રાજના આધેડ શિક્ષકે અસ્થિર મગજના ઈસમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર

માતર:તાલુકાના ત્રાજના આધેડ ઈસમે માનસિક રીતે અસ્વસ્થ ઈસમ ઉપર સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાના બનાવે ભારે ચકચાર મચાવી છે.

 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના ત્રાજમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે જેણીયા રમણભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક છે.આ નિવૃત્ત શિક્ષકે માનસિક અસ્વસ્થ એવા ૪૦ વર્ષના ઈસમ સાથે અવાર નવાર જુદા - જુદા નિર્જન સ્થળે લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર ઈસમના લગ્ન થયા હતા પરંતુ માનસિક હાલત સારી ન હોઈ તેની પત્નિ સાથે છૂટાછેડા થયા હોવાનું જાણવા મળેલ છે. ત્રાજના નિવૃત્ત શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે.
આ બનાવ અંગે માતર પોલીસે મનહરભાઈ ઉર્ફે જેણીયો રમણભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:37 pm IST)