Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સાંતલપુર-રાધનપુર નજીક કેનાલમાં ગેરરીતિની ફરિયાદ :સાઈફોન તૂટતાં હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

રાધનપુર: અને સાંતલપુર તાલુકામાં સિચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલોના કામોમાં ગેરરીતી થઈ હોવાને કારણે કેનાલોમાં પાણી છોડવામાં આવે એટલે ગાબડા પડવાનુ શરૃ થઈ જાય છે. કેનાલોમાં ગાબડા પડવાના સમાચાર સામાન્ય બન્યા હતા ત્યારે હવે સાયફોન તુટતા નિગમ અને કોન્ટ્રાકટર દ્વારા આચરવામાં આવેલો વ્યાપક ગેરરિતી સામે આવ્યો છે.

રાધનપુર સબ બ્રાન્ચ કેનાલમાં તાલુકાના દેલાણા ગામ પાસે પસાર થતી બનાસ નદી પાસે સાયફોન બનાવવામાં આવ્યુ છે. સરકાર દ્વારા સિચાઈ માટે નર્મદા કેનાલોમાં પાણી છોડવાનુ શરૃ કરાયુ ત્યારથી આ સાયફોનમાં નાના મોટા ગાબડા પડતા હતા.

(5:22 pm IST)