Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમદાવાદ કોર્પોરેશન દ્વારા રસ્‍તાઓ ઉપર ફરી રહેલ વધારાની રીક્ષાઓ દૂર કરવા કામગીરીનો પ્રારંભઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહેલ 200 રીક્ષાઓ જપ્‍તઃ પરમીટ અને લાયસન્‍સ રદ્દ કરવાની ચેતવણી

અમદાવાદ: શહેર પોલીસ કમિશનરના 6 ડિસેમ્બરના નિર્દેશ બાદ 19,230 રિક્ષા સ્ટેન્ડ બનાવવાની કામગીરી AMC દ્વારા શરુ કરી દેવામાં આવી છે. આ સાથે રસ્તા પર ફરી રહેલી વધારાની રિક્ષાઓને દૂર કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે તે દિવસે રિક્ષા પાર્કિંગ માટેની જગ્યા ફાળવણીની પણ સૂચના આપવામાં આવી હતી. આ સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહેલી 200 રિક્ષાઓ જપ્ત કરવામાં આવી હતી. જે 200 રિક્ષાને જપ્ત કરવામાં આવી છે તેના દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ થયો છે. માટે તેમના પરમિટ અને લાયસન્સ રદ કરવામાં આવશે.

શહેરમાં વધી રહેલી રિક્ષાની તકલીફને કમિશનરે પોતે ધ્યાને લઈને કાર્યવાહી શરુ કરી છે, આ અંગે પોલીસ કમિશનર એકે સિંઘે જણાવ્યું, “શહેરને વ્યવસ્થિત કરવા માટે શહેરમાં 60,000 રિક્ષા પૂરતી છે. જ્યારે શહેરના રસ્તાઓ પર 2 લાખથી વધુ રિક્ષા ફરી રહી છે. અયોગ્ય વ્યવસ્થા અથવા દુરંદેશીનો અભાવ, સરળતાથી રિક્ષાને પરમિટ મળી જવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.”

શહેરમાં રિક્ષા સ્ટેન્ડ માટે ફાળવવા આવેલી જગ્યાઓ પૂરતી છે તે અંગે કમિશનરે જણાવ્યું કે, આ પહેલો તબક્કો છે. રિક્ષાને આપણે ઈન્ટર્નલ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન (IPT) માટે જરુરી છે માટે મોટાભાગના સ્ટેન્ડ BRTS સ્ટેન્ડ, AMTS સ્ટેન્ડ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પાસે જગ્યા ઉભી કરવામાં આવશે, અને જરુરિયાત પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે, રિક્ષાનો વધારે પડતો પૂરઠો પૂરો પાડવામાં આવે છે જે ટ્રાફિક વધવાનું અને રોડ પર ગેરકાયેદસર પાર્કિંગનું કારણ બને છે. વારંવાર રિક્ષા ચાલકો અન્ય વાહનો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થાય છે. રિશાની સંખ્યામાં ઘટાડાની લોકોને તકલીફમાં મૂકનારા રિક્ષા ચાલકો સચેત થઈ જશે, જેનાથી રોડ પર ગીચતામાં ઘટાડો થશે અને રોડ પર પાર્કિંગ કરવાની તકલીફમાં ઘટાડો થશે.

પોલીસ કમિશનર એકે સિંઘે આગળ જણાવ્યું કે, અડચણરુપ બનતી રિક્ષાઓને રસ્તા પરથી દૂર કરવામાં આવશે. રિક્ષા વધારે જૂની હોય, જેનાથી પોલ્યુશનના નિયમનો ભંગ થતો હોય અને ખોટી રીતે ચલાવવામાં આવતી હોય તેઓને રસ્તા પરથી દૂર કરવામાં આવશે.

ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના સેક્રેટરી રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું કે, શહેરમાં રિક્ષાઓ ઘણી વધી ગઈ છે માટે તાત્કાલિક ધોરણે નવી રિક્ષા માટે પરમિટ બંધ કરવા જોઈએ. બીજી તરફ, કાયદાનો ભંગ કરનારા ડ્રાઈવરો સામે પોલીસ ભરી રહેલું પ્રસન્સનિય પગલું છે.

(4:58 pm IST)