Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નાણાં અને પદ મળ્યું હોવાથી કુંવરજીભાઇ બાવળિયા ભાજપમાં ગયા છે

અવસર નાકિયાના કુંવરજીભાઇ બાવળિયા ઉપર સીધા પ્રહારો : કુંવરજીભાઇ બાવળિયા છેલ્લા સાત વર્ષથી ભાજપના સંપર્કમાં હતા અને ભાજપ ૨૦૧૯ને લઇને કોળી લીડરની શોધમાં હતો

અમદાવાદ, તા.૯ : જસદણ પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી જોરદાર રીતે પ્રચાર ચાલી  રહ્યો છે. બન્ને પક્ષોના ઉમેદવારો ગામે ગામ જઇને લોકો પાસે મત માગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ આજે રાજકારણમાં તેમના ગુરૂ ગણાતા કુંવરજી બાવળિયા પર પ્રહાર કરી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુંવરજીભાઇ છેલ્લા સાત વર્ષથી ભાજપના સંપર્કમાં હતા અને ભાજપ ૨૦૧૯માં કોળી નેતાની શોધમાં હતી. ભાજપે નાણાં અને પદ આપ્યું એટલે બાવળિયા ત્યાં ગયા છે પરંતુ કોંગ્રેસ પક્ષ અને જસદણની પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારા બાવળિયાને જસદણની પ્રજા માફ નહી કરે. નાકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કુવરજી બાવળિયા મારી કે તમારી માટે ભાજપમાં નથી ગયા, ભાજપે રૂપિયા અને ખાતું આપ્યું એટલે ગયા છે. કોળી સમાજના મતો અંકે કરવા ભાજપને કોઇ કોળી ચહેરો નહોતો મળતો એટલે આ ભાઇને લઇ ગયા. જદસણની પેટા ચૂંટણી માટેના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે જસદણના જંગમા નેતાઓના બોલ બચ્ચન મામલે વિવાદો સામે આવી રહ્યા છે. જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ એક ગામમા સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કુંવરજી ભાઈ બાવળીયા પર આક્ષેપો કરતા જણાવ્યુ હતું કે, કુવરજી બાવળીયા ભાજપમા જવા સાત વર્ષથી પ્લાનીંગ કરી રહ્યા હતા. તો બીજી તરફ ભાજપમા જવા તેમને ભાજપના લોકોએ મંત્રી પદની સાથે નાણાં આપ્યા હોવાનુ જણાવ્યુ હતું. ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપ પાસે સૌરાષ્ટ્રમા કોળી ચહેરો ન હતો જે માટે તેમને બાવળીયાની જરૂર પડી એટલે બાવળીયા ને જે જોઈતુ હતું તે તમામ ભાજપે બાવળીયાને આપ્યુ છે. નાકિયાના આ નિવેદનને પગલે ભારે વિવાદ સર્જાયો છે અને સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

 

(9:28 pm IST)