Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સુંદરપુરા ગામની પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોય પત્નીને ત્રાસ આપતા ફરીયાદ

સુંદરપુરાની પરિણીતાને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધને કારણે ત્રાસ આપી કાઢી મુકનાર પતિ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા સુંદરપુરા ગામમાં પરણેલી પરિણીતાને ત્રાસ આપી કાઢી મુકનાર પતિ સામે રાજપીપળા મહિલા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી મુજબ ઇલાશબેન અજીતભાઇ મણીલાલ વસાવા ની પત્ની ઉ.વ.૨૭ રહે,સુંદરપરા તા.નાંદોદ મુળ રહે,વણઝર નિશાળ ફળિયુ તા.નાંદોદ જી,નર્મદા એ આપેલી ફરીયાદ અનુસાર તેમના પતિ અજીતભાઇ મણીલાલ વસાવા રહે, વણઝર નાઓ કોઇ અન્ય સ્રી સાથે આડા સંબધ રાખી રહેલ હોવાના કારણે તેમની સાથે અવાર નવાર ઝઘડો તથા મારઝુડ કરી મારી નાખવા ની ધમકીઓ આપી ઘરમાથી કાઢી મુકી શારીરીક તેમજ માનસીક ત્રાસ આપતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:41 pm IST)