Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

નડિયાદ નજીક કારનું ટાયર ફાટતા રીક્ષા ધડાકાભેર અથડાઈ:ચાલકનું ગંભીર ઇજાથી ઇજાથી મોત

નડિયાદ : નડિયાદ પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ ડભાણ નજીકથી પસાર થતી એક કારનું ટાયર ફાટતાં આગળ જતી રિક્ષા સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર મુસાફરોને શરીરે ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગત એવી છે કે સોમવારે સાંજે એક કાર નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી જઈ રહ્યો હતો ત્યારે ડભાણ નજીક અચાનક કારનું ટાયર ફાટયું હતું. જેથી કાર ચાલકે  સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર આગળ જતી રિક્ષા સાથે અથડાઇ હતી. રિક્ષા અને કાર વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બનાવમાં ગંભીર રીતે ઇજા પામેલા રિક્ષાચાલક અલ્લારખા વહોરા (રહે.રઢુ)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારની અડફેટે આવેલી રિક્ષામાં બેઠેલા ચાર મુસાફરોને નાની મોટી ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી આવી હતી. રિક્ષામાં સવાર અને ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માત અંગે  સાહિલભાઈ અલ્લારખા વહોરાએ ફરિયાદ આપતા નડિયાદ રૂરલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:50 pm IST)