Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પ્રજાકીય પ્રશ્નો મારા ધ્યાને મુકાશે તો હું ચોકકસ ન્યાયીક કાર્યવાહી કરીશ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પત્રકારોનું સ્નેહમીલન

(અશ્વિન વ્યાસ), ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આવેલ કોમ્યુનીટી હોલ ખાતેમ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવા વર્ષ નિમિતે પત્રકારો સાથેના સ્નેહમીલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ નિષ્ઠાથી કાર્ય કરવાની વાત કરી હતી. તેમણે વધુમાં જણાવેલ કે કોઈપણ બાબત પ્રજાકીય હોય અને મારા ધ્યાને દોરવામાં આવશે. તો હું ચોકકસ ન્યાયીક કાર્યવાહી કરીશ. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ તેમજ પત્રકારો હાજર રહ્યા હતા.

(3:25 pm IST)