Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વિરમગામ નળકાંઠા વિસ્તારના જરૂરીયાતમંદ લોકોને મીક્સ મીઠાઈઓ અને ફટાકડાની કીટ આપવામાં આવી

નૂતન વર્ષના પાવન પર્વ પર નરેન્દ્ર મહારાજના મિત્રમંડલ દ્રારા વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા વનથળ આનંદ આશ્રમના પરમ પૂજય સદગુરૂદેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજના આર્શીવાદથી ગુરુગાદી સમીપથી દિવાલી અને નૂતન વર્ષના પાવન પર્વ પર નરેન્દ્ર મહારાજના મિત્રમંડલ દ્રારા મીકસ મીઠાઈઓ અને ફટાકડાની કીટો આપવામાં આવી હતી. નળકાંઠાના જરૂરીયાતમંદ લોકોને મીક્સ મીઠાઈઓ અને ફટાકડાની કીટો આપવામાં આવી હતી તેમ નરેન્દ્ર મહારાજે જણાવ્યું હતું.

(11:14 am IST)