Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની 33,576 પ્રવાસીઓએ મુલાકાત લીધી:33,62,860ની આવક

છેલ્લા 10 દિવસમાં કુલ 1,08,247 પ્રવાસીઓએ મુલાકાત લીધી:સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 2,10,47,325ની આવક

નર્મદામાં કેવડિયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સતત પ્રવાસીઓનો ધસારો થઈ રહ્યો છે.પ્રવાસીઓની જબરી ભીડ જામી છે. લોકાર્પણ બાદ આજે સૌથી વધુ 33,576 પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જેને કારણે 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થયો હતો . પ્રવાસીઓની ભીડ વધતાં વ્યુઈંગ ગેલેરીનીટિકિટ આપવાનું બંધ કરી દેવાયું હતું 1,000 ઓનલાઈન ટિકિટ અને સ્થળ પરથી 5,000 ટિકિટ આપ્યા બાદ વધુ ટિકિટ આપવાનું બંધ કરાયું. અને માત્ર પરિસર માટે જ સામાન્ય ટિકિટ આપવામાં આવી રહી છે. ભારે ભીડને કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યાં છે.

-છેલ્લા 10 દિવસમાં કુલ 1,08,247 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 2,10,47,325ની આવકથયાનું જાણવા મળે છે 

(10:35 pm IST)