Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગાંધીનગર નજીક અડાલજ નર્મદા કેનાલમાં બાપુનગરની પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું: પતિ સહીત સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

ગાંધીનગર:શહેર નજીક આવેલા અડાલજ નર્મદા કેનાલમાં બાપુનગરની પરીણીતાએ ગત શુક્રવારે આપઘાત કરી લીધો હતો ત્યારે આ ઘટનામાં તેના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દિયરને વિદેશ મોકલવા માટે સાસરીયાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવતાં જે નહીં અપાતાં તેણીને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ડીસાના જયંતનગરમાં રહેતા અશ્વિનકુમાર ચંદુલાલ મોઢની ર૭ વર્ષીય પુત્રી નીકીતાના લગ્ન વર્ષ ર૦૧૬માં બાપુનગર ખાતે રહેતાં નરેશકુમાર અમરતલાલ મોદીના પુત્ર પાર્થ સાથે થયા હતા. આ લગ્ન જીવનથી નીકીતાને બે વર્ષનો દીકરો પણ છે. ગત તા.૪ ઓકટોબરના રોજ નીકીતા ઘરેથી નીકળી ગઈ હતી અને તેનો ફોન બંધ આવતો હતો. જેથી તેના સાસરીયાઓ અને પિયરીયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે તેણીનો અતોપતો લાગ્યો નહોતો. તેનો મૃતદેહ અડાલજ કેનાલમાંથી મળી આવ્યો હતો. 

(5:55 pm IST)