Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

આણંદમાં તુલસી ગરનાળાને પહોળું કરવા માટેની કામગીરી હાથ ધરાઈ

આણંદ:છેલ્લા ઘણાં વર્ષોથી આણંદની પૂર્વ પટ્ટીના તુલસી ગરનાળાને પહોળુ કરવાની કામગીરીને લઈ સ્થાનિકો તેમજ તંત્રમાં ભારે ખેંચતાણ ચાલી રહી હતી તેવામાં છેવટે તંત્ર દ્વારા સફાળા જાગી સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનમાં લેતાં હવે તુલસી ગરનાળાને પહોળુ કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આણંદ શહેરના વર્ષો જુના સદી વટાવી ચુકેલા તુલસી ગરનાળાને પહોળુ કરવાની માંગ છેલ્લા ઘણાં સમયથી ઉઠવા પામી હતી. પાછલા વર્ષોમાં તુલસી ગરનાળા પાછળ સેંકડો સોસાયટીઓના નિર્માણ સાથે કુદકેને ભૂસકે આબાદી વધી જતાં હાલનું તુલસી ગરનાળુ વર્તમાન ટ્રાફિકને પહોંચી વળે તેવી સ્થિતિમાં ન હોવાને કારણે અવાર-નવાર તુલસી ગરનાળા પાસે ચક્કાજામની સ્થિતિ સર્જાતી હતી. 

(5:11 pm IST)