Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમદાવાદના અસારવામાં એક્ટિવા પર જતા યુવકનું અપહરણ કરી ચાકુથી હુમલો કરનાર પાંચ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:અસારવામાં એક્ટીવા પર જઈ રહેલા એક યુવકનું અપહરણ કરીને તેને ચાકુ વડે ઘાયલ કરનારા પાંચ શખ્સો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.પાંચ શખ્સો વિરૃધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આ બનાવની વિગત મુજબ શાહીબાગમાં નિલકંઠ મહાદેવની ચાલીમાં રહેતો સમીર જોષી (૩૦) પ્રઉનગર સ્થિત એક ફાસ્ટફુડ એન્ડ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. આ રેસ્ટોરન્ટના માલિક જયસિંહ રાઠોડ સાથે સામે આવેલી જય ભોલે હોટેલના માલિકો ટીનો ઠાકોર સાથે ધંધા બાબતે ઝઘડો ચાલતો હતો. દરમિયાન સમીર એક્ટીવા લઈને જઈ રહ્યો હતો ત્યારે રાકેશ ઠાકોર અને રાજુ ઠાકોરે સિવિલ હોસ્પિટલ નજીક તેનેલ્ટકાવ્યો હતો. બાદમાં બન્ને જણાએ તેમના એક્ટીવા પર જબરજસ્તીથી સમીરને બેસાડી દીધો હતો અને અસારવા પગીવાસ નજીક લઈ ગયા હતા.

(5:04 pm IST)