Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કોંગ્રેસ વાદ, વિવાદ, વેરઝેરની આયોજકઃ ભરત પંડયાના પ્રહારો

ગુજરાતને બદનામ કરવાનું વિપક્ષનું ષડયંત્ર

રાજકોટ તા. ૧૦: ભાજપના પ્રદેશ યુવકતા ભરત પંડયાએ ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે જણાવેલ કે પ્રાંતવાદનો મુદે ચગાવી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવા માંગે છે. તેની પ્રવૃતિમાં વિકૃતિ છે. કોઇને કોઇ વર્ગને ઉશ્કેરીને વિવાદ કરાવીને કોંગ્રેસ ઝેર ફેલાવા માંગે છે. કોંગ્રેસ વેરઝેરની અને વાદ વિવાદની આયોજક છે. આતંકવાદ, જાતિવાદ અને પ્રાંતવાદની સમર્થક છે. ગુજરાતના વિકાસમાં અવરોધક છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૩૦ વર્ષથી જાહેર જીવનમાં છે. કોંગ્રેસ રઘવાઇ બનીને તેમના પર પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે. (૭.૩૭)

(3:38 pm IST)