Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પરપ્રાંતીયો પર હુમલાની ઘટના સંદર્ભે રાજ્યમાંથી 533 લોકોની ધરપકડ ;પ્રદીપસિંહ જાડેજા

કોંગ્રેસના 20 આગેવાનો અને કેટલાક સંગઠનો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી

અમદાવાદ ;રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલાની ઘટના સંદર્ભે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ મામલે સમગ્ર રાજ્યમાંથી 533 લોકોની ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં અશાંતિ ફેલાવવાના આરોપ હેઠળ કોંગ્રેસના 20 આગેવાનો અને કેટલાક સંગઠનો સાથે જોડાયેલા લોકો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જેઓના નામ ટુંક સમયમા જાહેર કરાશે.

 પ્રદિપસિંહે જણાવ્યું કે છેલ્લા 72 કલાકથી રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની એક પણ ઘટના બની નથી. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અશાંતિ ફેલાવનારો સામે કડકમાં કડક પગલા ભરાશે..જે તે સમયે પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક જરૂરી પગલા લેવાયા હોવાનું પણ પ્રદિપસિંહે જણાવ્યું છે.

(12:36 pm IST)