Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પરપ્રાંતીયોમાં વિશ્વાસ જગાવવા સંઘ અભિયાન છેડશે :સામાજિક સમરસતા માટે સમજાવશે

ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે કોઈને ડરવાની જરૂર નથી તેવો સંદેશો ફેલાવશે

અમદાવાદ :પરપ્રાંતિયો પર હુમલાને રોકવા માટે સંઘે મેદાનમાં કૂદયું છે  પરપ્રાંતિયોમાં વિશ્વાસ જગાવવા બુધવારથી સંઘ અભિયાન છેડશે. લોકોમાં સામાજિક સમરસતા વધારવા માટે સંઘ અભિયાન છેડશે. સંઘ પરપ્રાંતિયોના વિસ્તારમાં જઈ તેમને સમજાવશે. અને ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે અને કોઈની ધાકધમકીથી ડરવાની જરૂર નથી તેવી બાંયધરી આપશે

 રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલા થયા છે અને ભાજપ સરકારની છબી ખરડાઈ છે ત્યારે સંઘ ડેમેજ કંટ્રોલ કરી પરપ્રાંતિયોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરશે.

(12:29 pm IST)