Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પરપ્રાંતીયો પરના હુમલા - હિજરત રોકવા નિષ્ફળસરકાર પાયાવિહોણા આક્ષેપ કરે છે :પરેશ ધાનાણી

સરકાર પોતાના પ્રભારીનું રાજીનામું લેવાને બદલે આક્ષેપબાજી કરે છે

અમદાવાદ :ગુજરાતમાં પરપ્રાંતિયો પરના હુમલા અને તેની હિજરત મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ સરકારને આડેહાથ લીધી છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે તમામ મોરચે નિષ્ફળ રહેલી સરકાર પરપ્રાંતિયો પરના હુમલાને રોકી શકતી નથી. આથી કોંગ્રેસ પર પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. 

 ધાનાણીએ કહ્યું કે ગુજરાતની એક માસૂમ બાળકી પર દુષ્કર્મ જેવી જઘન્ય ઘટના બની છે. ત્યારે સરકાર દુષ્કર્મના આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકાર પોતાના પ્રભારીનું રાજીનામું લેવાને બદલે આક્ષેપબાજી કરી રહી છે.

(8:19 pm IST)