Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

નડિયાદ: વડતાલના સંતે સગીર શિષ્ય સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી: પોલીસ ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ

નડિયાદ:વડતાલના એક સંત દ્વારા પોતાના એક સગીર શિષ્ય સાથે શુષ્ટીવિરુધ્ધનુ કૃત્ય કર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શિષ્યનેઅલગ અલગ જગ્યાઓ પર લઇ જઇ તેની મરજી વિરુધ્ધ આ કૃત્ય કર્યું હોવાનુ પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.

વડતાલમાં આવેલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગુરુની સેવા કરવા તથા તેમની આજ્ઞાાનુ પાલન કરવાનુ જણાવી ને તેની પાસે જુદા જુદા કામો કરાવાવામાં આવતા હતા.અને  સુવ્રત સ્વામી નામના સંત તેની પાસે પગ પણ દબાવડાવતા હતા.ત્યાર બાદ તેની પર દાનત બગાડી તેની સાથે સુષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરવામાં આવ્યુ આ ઉપરાંત તેને ઋષિકેશ સાથે લઇને ત્યા પણ તેની સાથે આવુ  કૃત્ય કર્યુ હોવાનુ પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.

(5:58 pm IST)