Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બે જ મહિનામાં ધોધમાર વરસાદે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાખ્યાં: ભરૂચમાં ૧૪૬ અને સુરતમાં ૧૧૯ ટકા વરસાદ

રાજકોટ તા.૧૦: જૂન મહિનો અડધો વીતી ગયો હતો ત્યારે રાજ્યભરમાંથી એવી બૂમો ઉઠી હતી કે આ વખતે દુકાળજનક સ્થિતિ સર્જાશે અને બે જ મહિનાના સમયગાળામાં વરસાદે એવો દેકારો મચાવ્યો કે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાંખ્યા. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. હજુ કહેવાય છે કે નવરાત્રી સુધી વરસાદ ઝીકાવાનો છે. વિચારી રાખજો શું પરિસ્થિતિ થશે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં  ગુજરાતના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ, ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા, છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા, કચ્છમાં ૧૪૦.૯૯ ટકા,જામનગરમાં ૧૩૭.૪૭ ટકા , બોટાદમાં ૧૩૫.૩૩ ટકા, મોરબીમાં ૧૩૨.૧૫ ટકા, નર્મદામાં ૧૨૪.૫૭ ટકા, વલસાડમાં ૧૨૦.૨૦ ટકા, સુરતમાં ૧૧૯.૯૨ ટકા,સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા,પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા,રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા,નવસારીમાં ૧૧૦.૧૮ ટકા,ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા,જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા, આણંદમાં ૧૦૬.૪૯ ટકા વરસાદ પડ્યો છે.  જ્યારે તાપીમાં ૧૦૬.૪૫ ટકા,વડોદરામાં ૧૦૩.૩૪ ટકા, દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશકિતના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.

સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે. ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે.વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે.કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે.દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે.  આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે. હીરણ-ર માં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે

(5:41 pm IST)