Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હીરા બજારમાં ભયાનક મંદી

દર વર્ષે દિવાળીએ કાર-ફલેટ-ઘરેણા કારીગરોને બોનસમાં આપતી પેઢી આ વર્ષે કશું નહિ આપે

હરિકૃષ્ણ એકસપોર્ટ કહે છે કારીગરોને કાઢી મુકવા એના કરતા બોનસ ન આપી જાળવી રાખવા જરૂરી છે

મુબંઇ,તા.૧૦:વિશ્વમાં બનતા ૧૦ હીરામાંથી ૮ હીરા જયાં કટીંગ એન્ડ પોલીશીંગ થાય છે અને વર્ષે દિવસે રૂપિયા ૨ લાખ કરોડનું ટર્નઓવર કરે છે તેવા હીરાઉધોગમાં મંદીના અજગર ભરડાએ આખા ઉદ્યોગની ખાસ કરીને રત્નકલાકારોની દિવાળી બગાડે તેવા સંકેત ઉભા થયા છે.દર વર્ષે દિવાળીમાં કાર, ફલેટ અને સોનાના દ્યરેણાં કારીગરોને બોનસમાં આપતી ડાયમંડ કંપની પણ આ વખતે હાલી ગઇ છે અને દિવાળીમાં કારીગરોને કાર જેવી મોંદ્યી દાટ વસ્તુ બોનસમાં નહીં આપે તેવા નિવેદન આપ્યું છે. આ વાત બતાવે છે કે હીરાઉદ્યોગમાં નાનાને નાનો માર મોટાને મોટો માર પડી રહ્યો છે.છેલ્લાં ૩ મહિનામાં જ  અનેક મોટી ડાયમંડ કંપનીઓએ હજારો રત્નકલાકારોને છુટા કરી દીધા છે.ઉદ્યોગકારોનું કહેવું છે કે અમેરિકા- ચીન વચ્ચેનું ટ્રેડ વોર અને ભારતભરમાં મંદીના માહોલને કારણે પોલિશ્ડ હીરાની માંગમાં ૩૦ ટકાથી વધુનો દ્યટાડો નોંધાયો છે.

સુરતની  વિશ્વભરમાં જાણીતી ડાયમંડ કંપની હરિક્રિષ્ણા એકસપોર્ટના મેનેજિંગ ડિરેકટર દ્યનશ્યામ ધોળકીયાએ કહ્યું હતું કે અમારું માનવું છે કે કારીગરોની નોકરી જાય તેના કરતા બોનસ નહીં આપીને તેની નોકરી જાળવી રાખવી વધારે જરૂરી છે.મંદીની અસર તમામ કંપનીઓ પર એક સમાન છે. અમારા જેવી મોટી કંપની પણ તેમાંથી બાકાત નથી. સામાન્ય સંજોગોમાં અમે અમારા ૭,૦૦૦ કારીગરોને કાર, મકાન કે અન્ય સ્વરૂપે બોનસ આપતા આવ્યા છીએ પરંતુ વર્તમાન સંજોગો જોતા આ વર્ષે દિવાળી પર બોનસ આપવું અશકય જણાઈ રહ્યું છે. અન્ય ઉદ્યોગોમાં જે રીતે લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તેની સામે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હજુ સુધી કોઈ મોટી દ્યટના બની નથી. અમે અમારા કારીગરોને છુટા કરવાના બદલે તેમને સાથે રાખવાનું પસંદ કર્યું છે અને એટલે જ આ વર્ષે બોનસ નહી આપવાનો નિર્ણય કર્યો છે. વર્કર્સ માટે દિવાળી બોનસ કરતા તેમાંની નોકરી વધારે અગત્યની છે.

સુરત રત્નકલાકાર સંદ્યના પ્રમુખ જયસુખભાઇ ગજેરાએ કહ્યું હતું કે ગત દિવાળી પછી ડાયમંડ કંપનીઓ રત્ન કલાકારોને છુટા કરી રહ્યા છે.તેમાં છેલ્લાં ત્રણેક મહિનાથી કારીગરોને છુટાં કરવાનું પ્રમાણ વધી રહ્યું છે.મોટી મોટી ડાયમંડ કંપનીઓ પણ કારીગરોને છુટા કરી રહી છે.પોલીશ્ડ ડાયમંડનું વેચાણ નહીં થતું હોવાથી કારીગરોને છુટા કરવામાં આવી રહ્યા છે એમ ગજેરાએ કહ્યું હતું.

મંદી એટલી ભયંકર છે કે કોઇ પણ કંપનીને બોનસ આપવાનું પોષાય તેમ નથી

જેમ એન્ડ જવેલરી એકસ્પોર્ટસ પ્રમોશન કાઉન્સીલના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે ૩ કારણોને લીધે હીરાઉદ્યોગમાં ભારે મંદી છે. ૧ અમેરિકા- ચીનનું ટ્રેડ વોર,૨ ભારતીય બેંકોએ ધિરાણના કરેલાં કડક નિયમ અને લેબર પર જીએસટીને કારણે ધંધો પડી ભાંગ્યો છે.દ્યણી ડાયમંડ કંપનીઓ છેલ્લાં દોઢ વર્ષથી કારીગરોને સાચવવા ખોટ કરીને પણ કંપની ચલાવતી હતી પણ હવે કોઇ પણ કંપની માટે વદ્યારે ખેંચવું મુશ્કેલ છે.આ દિવાળીમાં કાર કે કોઇ પણ મોંદ્યી દાટ ગિફટ આપવાનું કોઇને પણ પોષાય તેમ નથી.

(3:20 pm IST)