Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

શ્રી સેરેશ્વર મહાદેવ હાંસલપુર-વિરમગામ ખાતે સોની પરિવાર દ્વારા લઘુરૂદ્ર-બ્રહ્મચોર્યાસી

શ્રી સેરેશ્વર મહાદેવ, હાંસલપુર -વિરમગામ ખાતે તા. ૭-૯-૧૮, શુક્રવારે શ્રી વિજયકુમાર નરેશકુમાર સોની (શ્રી પરમેશ્વરી જવેલર્સ) પરિવાર દ્વારા લઘુરૂદ્ર નિમિત્તે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી સોની પરિવાર દ્વારા હાંસલપુર -વિરમગામના ઐતિહાસિક સેરેશ્વર મહાદેવ મંદિરે લધુરૂદ્ર અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગે બ્રહ્મ ચોર્યાસીના યજમાન વિજયકુમાર સોનીને શ્રી સેરેશ્વર મહાદેવ સમગ્ર ભંડારા વ્યવસ્થાપક ક્રમિત દ્વારા શાલ અર્પણ કરવામાં આવી હતી. યજમાન વિજયકુમાર સોનીએ નાથબાવા કિરણભાઇ દવે અને જ્ઞાતિ ગોર તેજસભાઇ દવેનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ પ્રસંગેઢ મોટી સંખ્યામાં ભૂદેવોએ બ્રહ્મભોજન કર્યુ હતું. લધુરૂદ્રની પૂર્ણાહૂતિ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકભકતો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી સેરેશ્વર મહાદેવ મંદિરે શ્રધ્ધાળુઓએ દર્શન-પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તસ્વીર-અહેવાલ-રાજેન્દ્ર પંડ્યા-વિરમગામ. (૯.૩)

(12:32 pm IST)