Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમદાવાદમાં બંધ કરાવવા નિકળેલા કોંગી કાર્યકરોની અટકાયત

બીઆરટીએસની બસને રોકવામાં આવતા ટ્રાફીક જામ : શાહીબાગનો પેટ્રોલપંપ પણ બંધ કરાવાયો : કોંગી કાર્યકરો દ્વારા પુષ્પ આપી વિરોધ દર્શાવાયો

રાજકોટ, તા. ૧૦ : પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે અમદાવાદ શહેરમાં કોંગી કાર્યકરો બજારો બંધ કરાવવા નીકળા તો તેઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા દાણીલીમડામાં બીઆરટીએસ બસને રોકી દેવામાં આવતા ટ્રાફીક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે હાજર હોય ટ્રાફીક ફરીથી શરૂ કરાવાયો હતો.

જયારે શાહીબાગનો પેટ્રોલપંપ બંધ કરાવવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરો દ્વારા લોકોને પુષ્પ આપી દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ રહી છે. અમુક વેપારીઓ સ્વેચ્છાએ બંધ પાળી રહ્યા છે તો અમુક વેપારીઓ ટોળાઓ દેખાતા પોતાની દુકાનો બંધ કરી દીધા હતા. આ લખાય છે ત્યારે સવારે તો બજારો હજુ બંધ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)(૩૭.૬)

(11:59 am IST)