Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બનાસકાંઠાના કાંકરેજના રતનગઢ ગામે સ્મશાનમાં યોજાઈ ભગવાન સત્યનારાયણની કથા

બનાસકાંઠાના કાંકરેજના રતનગઢ ગામે આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે સ્મશાનમાં કથા યોજાઇ હતી. સામાજિક કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવા સ્મશાનમાં ભગવાન સત્યનારાયણની કથા યોજાઇ હતી

  જેમાં  આખા ગામના લોકોએ એકઠા થઇ સ્મશાનમાં યોજાયેલી કથામાં ભાગ લીધો હતો. ગામલોકોએ કથા દરમિયાન સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.

(8:40 pm IST)