Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુરતના અડાજણમાં કોરોનાની ઝપેટમાં આવેલ વૃદ્ધ દંપતીએ ટેંશનમાં આવી ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:શહેરમાં કોરોના વકરી રહ્યો છે તેવા સમયે અડાજણના વૃદ્ધ દંપતી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા આવા સંજોગોમાં ટેન્શનમાં રહેતા વૃદ્ધાએ ઘર પાસે મંદિર નજીક જાહેરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, અડાજણ વિસ્તારમાં આવેલા પાલ રોડ ઉપર રહેતા 57 વર્ષીય વૃદ્ધા એ ગઈ તારીખ 8મી રાત્રે થી રવિવારે સવાર દરમિયાન ઘર પાસે આવેલા મંદિર નજીક પતરાના શેડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેથી ત્યાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા તે વેળાએ તેમના પુત્રને ઘરમાં માતા દેખાઈ ન હતી જેથી પુત્ર તેણે માતાને અવર નવર ફોન કર્યા હતા પણ તેમની માતાએ ફોન રિસીવ કર્યો ન હતો જેથી પુત્ર ઘર પાસે એકત્ર થયેલા લોકોના ટોળા પાસે ગયો હતો ત્યાં જઈને જોયું તો તેમની માતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા હેબતાઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વધુમાં પોલીસે કહ્યું હતું કે એકાદ અઠવાડિયા પહેલા વૃદ્ધ દંપતીને કોરોનામાં સપડાયા હતા. જેથી તેમના પતિને અડાજણ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વૃદ્ધાને કોરોનાને લીધે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા આવા સંજોગોના લીધે તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું.

(5:36 pm IST)