Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રોજના ૩૦ હજાર કોરોના ટેસ્ટ કરવા તંત્રની નેમ : વિજયભાઇ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની કોરોના સંબંધિત સ્થિતિની બહુઆયામી સમીક્ષા : રાજય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબુમાં રાખવા પર છેઃ કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર સક્ષમ છેઃ કોરોનાને હટાવવા માટે લોકજાગૃતિ અનિવાર્ય : રાજય સરકારના સહયોગની ખાત્રી :જામનગર જિલ્લામાં રોજના ૧૦૦૦ ટેસ્ટ કરવામાં આવશે અને ધનવંતરી રથની સંખ્યા વધારાશેઃ રૂપાણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર ,તા.૧૦: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત સ્થિતિથી માહિતગાર થયા હતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર સહિત તમામ સરકારી વિભાગોના પદાધિકારીઓ તથા જામનગર જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે તબક્કાવાર બેઠક યોજી હતી અને કોરોના અંગેની તમામ બાબતોની વિશદ છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના નાગરિકોને હૈયાધારણા આપતા કહ્યું હતું કે, છેલ્લા પાંચેક માસથી રાજય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબુમાં રાખવા પર કેન્દ્રિત થયેલું છે અને આ માટે જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહીને આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયત અંગેની મહત્ત્।મ કાર્યવાહી કરાઇ રહી છે.

કોરોના અંગેની કોઇ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અંગે રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તમામ ગંભીર પરિસ્થિતિને સુલઝાવવા માટે રાજય સરકાર સક્ષમ હોવાની ખાત્રી ઉચ્ચારી હતી.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ લોકોના સહકારની અને જનજાગૃતિની કામના સેવી હતી અને આ માટે રાજય સરકાર તમામ શકય પ્રયત્નો કરી છુટશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટની WHOની ગાઇડલાઇન કરતાં વધુ ટેસ્ટ ગુજરાતમાં થાય છે અને ઉમેર્યું હતું કે, અત્યારે રોજના ૨૬૦૦૦ કોરોનાના ટેસ્ટ રાજયમાં થાય છે તે વધારીને ૩૦૦૦૦ કેસ પ્રતિદિન કરવાની રાજય સરકારની નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિમાં જિલ્લા વહિવટી તંત્રની ભૂમિકા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો. જામનગર જિલ્લામાં રોજના ૧૨૦૦ ટેસ્ટ કરવા, ધનવંતરી રથની સંખ્યા વધારવા તથા ટોસિલીઝુમેબ ઇન્જેકશનનો જથ્થો વધારવા સંબંધિત અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ સુચના આપી હતી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાના આદેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના મુખ્ય શહેરોની કોરોના સંબંધિત સ્થિતિનો તુલનાત્મક અહેવાલ રજુ કરતા જણાવ્યું હતું કે, રાજય સરકારની ખાનગી હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ્સમાં રૂપાંતરિત કરવાની અને ધનવંતરી રથના ભ્રમણ થકી કોરોના અટકાયતની કામગીરીની સુપ્રિમ કોર્ટે પણ સરાહના કરી છે. રાજયનો રિકવરી રેટ ૭૫્રુ, મૃત્યુદર ૩.૫ ટકા અને પોઝીટીવીટી ૮ ટકા છે જેમાં પણ સમયાંતરે સુધારો કરવા રાજય સરકાર કટિબધ્ધ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદની હોસ્પિટલમાં થયેલ દુર્દ્યટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજયભરની તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા, જરૂરી ઇલેકિટ્રફિકેશન તાકીદે પૂર્ણ કરાવવા તથા કોવિડ હોસ્પિટલમાં તમામ સરકારી નિયમોનું પાલન કરવા તમામ જિલ્લાના કલેકટરો તથા મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપી દેવામાં આવી છે. આંતર જિલ્લા સરહદો પર કડક તબીબી પરીક્ષણ કરાવવા અને જરૂર જણાયે સ્થળ પર જ કોરોના સંબંધિત તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી દીધી હોવાનું ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમીક્ષા બેઠકમાંઙ્ગ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઙ્ગસાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર, ઙ્ગસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપઙ્ગ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચાઙ્ગઉપસ્થિત રહ્યા હતા.

રાજયના મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ પણ આઙ્ગ મુલાકાતમાં જોડાયા હતા.

આ બેઠકમાંઙ્ગજામનગર જિલ્લા માટેઙ્ગકોરોના સારવાર, સંક્રમણ નિયંત્રણ અનેઙ્ગમાર્ગદર્શન માટે નિમાયેલ અધિક મુખ્ય સચિવશ્રી (પંચાયત)ઙ્ગએ.કે.રાકેશ,ઙ્ગજિલ્લા કલેકટર શ્રી રવિશંકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી સતિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(2:39 pm IST)