Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પંચમહાલ જાંબુઘોડામાં ભારે વરસાદથી મકાન ધરાશાયી : એક જ પરિવારના 3 લોકોના મોત

પાંચ વર્ષના બાળક,પિતા અને દાદાનું મોત : એક સભ્યનો આબાદ બચાવ

પંચમહાલના જાંબુઘોડાના કણજીપાણી ગામે મકાન ધરાશાયી થતા 3 ના મોત નિપજ્યા છે. રાત્રિ દરમિયાનમાં ધોધમાર વરસાદના પગલે કાચું મકાન ધરાશયી થતા 4 લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. ત્યારે એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત નિપજ્યું છે. પરિવારના એક સભ્યનો જ આબાદ બચાવ થયો છે. 70 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરુષ અને 5 વર્ષનું બાળક ઘટનાનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જાંબુઘોડામાં ગત રાત્રિ દરમ્યાન 3.75 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

(10:23 am IST)