Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ચોથના દિવસે રૂદાતલ ગણપતિ મંદિરે 35 કિલો પેંડાનુ વિતરણ કરવામાં આવ્યું

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તેની ખુશીમાં અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ રૂદાતલના ગણપતિ મંદિરે 35 કિલો પેંડાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોળચોથના પાવન દિવસે વિશ્વ હિંદુ પરિષદ દેત્રોજ પ્રખંડ પ્રમુખ ઝીલુભા જાલમસિંહ ઝાલા તરફથી અયોધ્યા રામ જન્મભૂમિ શિલાન્યાસના ઉત્સવની ઉજવણી હેતુસર રૂદાતલ ગણપતિ મંદિરે દર્શન કરીને 35 કિલો પેંડા વિતરણ કરવામાં આવ્યું હતું.

(8:56 pm IST)