Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વડોદરા: દહેજના ત્રાસથી નવપરીણિતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:માં પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીને પતિ અને સાસરિયાં દ્વારા દહેજ માટે મારઝૂડ કરીને અમાનૂષી ત્રાસ આપવામાં આવતો હોવાથી યુવતીએ આખરે જીંદગીથી હારીને અંતિમ પગલું ભર્યું હતું. યુવતીએ કાલે રાત્રે ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવતીના માતા પિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે લગ્નના થોડા સમયમાં જ દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ થઇ ગયું હતું અને મારી દીકરીએ આપઘાત નથી કર્યો પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને પછી તેને લટકાવી દેવાઇ છે. શહેરના વારસીયા વિસ્તારમાં અમી આધાર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ જોષીની પુત્રી ભિસ્મીકા (ઉ.૨૫)ના બે વર્ષ અગાઉ કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામે તિરૂપતિ સોસાયટીમાં રહેતો પાર્થ કલ્યાણભાઇ શાહ(ઉ.૩૩) સાથે લગ્ન થયા હતા. ભિસ્મીકાના પિતા કિશોરભાઇના કહેવા મુજબ 'ભિસ્મીકા અને પાર્થ એક બીજાના પરિચયમાં હતા અને બન્ને વચ્ચે પ્રેમ હોવાથી આખરે બન્ને પક્ષ દ્વારા લગ્નને મંજૂરી આપવામાં આવી હતી અને લગ્ન થયા હતાં. પાર્થ માંડ ધો.૧૨ સુધી ભણેલો છે અને એસએસજી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો છે. લગ્ન બાદ થોડા સમય સુધી તો ભિસ્મીકા અને પાર્થ વચ્ચે કોઇ સમસ્યા ન હતી.
 

(5:04 pm IST)