Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે સાંજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે દર્શન કરી આરતીમાં સહભાગી થશે :રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે

મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવારે  અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી - દર્શન કરશે : રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મી ઓગસ્ટે યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી - દર્શનમાં સહભાગી થશે
આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે

(6:43 pm IST)