Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સચિવાલયના ૮ સંયુકત સચિવોને અધિક સચિવ તરીકે બઢતી

મંડોરા,દ્વિવેદી, ત્રિવેદી, એરડા, મનોજ પટેલ વગેરેનો સમાવેશ

રાજકોટ,તા. ૯: રાજ્ય સરકારે આજે સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના ૮ અધિકારીઓને કેડરની સર્વોચ્ચ ગણાતી અધિક સચિવની જગ્યા પર બઢતી આપી હાલના સ્થાને યથાવત રાખ્યા છે.

અધિક સચિવ તરીકે બઢતી મેળવનારા અધિકારીઓમાં આદિજાતિ વિકાસ વિભાગના વાય.બી.પટેલ, નર્મદા જળ ડી.આર.પટેલ, મુખ્યમંત્રી કાર્યાલયના ડી.આર.ત્રિવેદી, આરોગ્ય વિભાગના આઇ.એમ. કુરેશી, પંચાયત વિભાગના જે.બી.દ્વિવેદી, ગૃહમંત્રીના અંગત સચિવ એમ.વી.પટેલ અને શિક્ષણના બી.એન. એરડાનો સમાવેશ થાય છે.

વાય. બી. પટેલ, સંયુકત સચિવ, આદિજાતિ વિકાસ વિભાગને સરકારના આધેડ સચિવ તરીકે બઢતી આપીને તેમને આદિજાતિ વિકાસ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવતા પગાર ધોરણમાં અપગેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

વી. ટી. મંડોરા, સંયુકત સચિવ, નર્મદા, જળ સંપત્ત્િ।, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને સરકારના અધિક સચિવ તરીડે બઢતી આપીને તેમને નર્મદા, જળ સંપત્ત્િ।, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

ડી. આર. પટેલ, અધિક અંગત સચિવ(સચિવાલય સેવાના સંયુકત સચિવ), નાયબ મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને અધિક અંગત સચિવ,  નાયબ મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

ડી. આર. ત્રિવેદી, સંયુકત સચિવ, માન. મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલયને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને  મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

આઈ. એમ. ફુરેશી, સંયુકત સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

જે. બી. ત્રિવેદી, સંયુકત સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે

એમ. વી. પટેલ, અંગત સચિવ (સચિવાલય સેવાના સંયુકત સચિવ), રા.ક.મંત્રીશ્રી, ગૃહ, પોલીસ આવાસો અને ઊર્જાનું કાર્યાલયને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને અંગત સચિવ, માન.રા.ક.મંત્રીશ્રી, ગૃહ, પોલીસ આવાસો અને ઊર્જાનું કાર્યાલયમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

બી. એન. એરડા, સંયુકત સચિવ, શિક્ષણ વિભાગને સરકારના અધિક સચિવ તરીકે બઢતી આપીને તેમને શિક્ષણ વિભાગમાં તેમની હાલની જગ્યાને અધિક સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જગ્યાએ નિયુકિત આપવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૧/૯૭ ના કરાવ ક્રમાંક : જીએસએસ- ૧૦૯૭-૪૬૪૭-ગ ની જોગવાઈ અનુસાર ઉપર જણાવેલ અધિકારીશ્રીઓને જે જગ્યાએ અધિક સચિવ તરીકે બઢતી આપી નિયુકત કરવામાં આવે છે, તે જગ્યા અધિક સચિવ તરીકે તેમના બઢતીના હુકમની તારીખથી તેઓ તે જગ્યા ધારણ કરે ત્યાં સુધી, અધિક સચિવની ઉકત જગ્યા અપગ્રેડ થયેલી ગણાશે. તેમ સુશીલ વ્યાસ સરકારના ઉપસચિવએ જણાવ્યું છે.

(11:36 am IST)