Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

નર્મદા જિલ્લાની તાપી આધારિત પાણી પુરવઠા યોજનાની સાંસદની સ્થળ મુલાકાત બાદ પોલ ખુલી : પ્રભારી મંત્રી એ મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા - સાગબારા બે તાલુકા માટે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાપી આધારિત પીવાની પાણીની યોજનાની કામગીરી છેલ્લા 10,15 વર્ષ થી ચાલી રહી છે જેમાં દેડિયાપાડાના ૧૨૭ ગામો અને સાગબારાના ૮૫ ગામો ને આવરી લેતી 309 કરોડની આ યોજનામાં હાલ માત્ર 20 થી 25 ગામોને જ પાણી મળી રહ્યું છે ત્યારે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અલગ અલગ ગામોમાં જઈને જાત નિરીક્ષણ કર્યુ ત્યારે વાસ્મોની પોલ ખુલી ગઈ હતી જેમાં પાણી પુરવઠા દ્વારા જે કામગીરી કરવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે એટલે ગામમાં સંપ સુધી પાણી પહોંચાડી દીધું છે પણ સંપથી ગામ સુધી વાસ્મો યોજના દ્વારા પાણી પહોંચાડવાનું છે તે કામગીરી હજુ શરુ થઈ નથી

  સાંસદ વસાવાએ ગામોની મુલાકાત લીધી ત્યારે ઘણી જગ્યાએ વાસ્મોનું માળખું તૈયાર નથી ઘણી જગ્યા એ પાઇપ લાઈનો તૂટી ગઈ છે અને નાની મોટી પાઈપોમાં તકલીફો થઈ છે જેથી પાણી પહોંચતું નથી અને ગ્રામ્ય લેવલે વાસ્મો ની તકલીફ છે જેને લીધે પાણી પહોંચતું નથી પણ આગામી દિવસોમાં ક્ષતિઓ દૂર થશે અને ગ્રામ્ય લેવલે પાણી પહોંચશે આ મામલે સાંસદ વસાવા એ જિલ્લા પ્રભારી બચુભાઈ ખાબડ નું ધ્યાન દોરતો 26 જૂન રોજ પત્ર લખ્યો હતો જેને પગલે આજે રાજપીપળા ના સર્કિટ હાઉસ ખાતે મિટિંગ બોલાવી ને સ્થળ વીઝીટ કરી હતી જયારે મનસુખ વસાવા ના પત્ર માં 1 કરોડ ની સુખડી વિતરણ અને ચોકલેટ વિતરણ માં કૌભાંડ નો પણ ઉલ્લેખ હતો જે બાબતે પ્રભારી મંત્રી એ જણાવ્યું કે હાલ પૂરતો આ પ્રોજેક્ટ બંધ કર્યો છે અને હવે નવા આયોજન માં અમે આંગણવાડીઓ બનાવીશું

દેડીયાપાડા અને સાગબારા ની તાપી આધારિત મીઠા પાણી ની પાણી પુરવઠાની યોજના છે પાણી પુરવઠા વિભાગે બંને તાલુકાની યોજના પૂર્ણ કરી છે પણ જેમાં વાસ્મોનો જૂનો પ્રોજેક્ટ છે તેમાં કોઈ ખામી ના કારણે ગામમાં પાણી મળતું નથી લગભગ 10 થી 15 ટકા ગામો ને જ પાણી મળે છે જયારે 85 ટકા ગામોમાં પાણી પહોંચતું નથી વાસ્મો ના જે અધુરા કામો છે તેને 10થી 15 વર્ષ જેટલા થઈ ગયા છે ત્યારે જે વાસ્મો દ્વારા રહી ગઈ છે તેનું આયોજન કરવામાં આવશે અને 5 મહિના માં દરેક ગામને પાણી મળે તેવી પુરેપુરી તૈયારી છે
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ની તાપી આધારિત 309 કરોડ ની શુદ્ધ પીવાની પાણી યોજના જે તાપી થી પાણી ઉઠાવીને દરેક ગામના સંપ સુધી પહોંચાડવાનું કામ પૂર્ણ કર્યું છે દરેક ઘર સુધી પાણી પહોંચે તે માટે વાસ્મો યોજના આવી છે આયોજન માટે પાણી પુરવઠા અધિકારીઓ તેનું સર્વે પણ કરી લીધું છે અને ઘણા ગામોમાં તાંત્રિક મજૂરી પણ આપી દીધી છે અને ટૂંકા ગાળામાં દરેક ગામો ને પાણી મળે તે માટે ની ચર્ચા કરવા માટે અને સ્થળ નિરિક્ષણ માટે હું આવ્યો છું અત્યાર સુધી કોઈ ભ્રસ્ટાચાર ની વાત આવી નથી વાસ્મો ની કામગીરી થઈ નથી એ હવે શરુ કરીશું અને અજેન્સી એ ગુણવતા વાળું કામ કર્યું છે અને વાસ્મોએ નું કામ શરુ કર્યું જ નથી.સુખડી વિતરણ અમે કરી જ નથી.એ યોજના અમે ડ્રોપ કરી છે. નવા આયોજન માં યોજના ફેર કરીને અમે આંગણવાડીઓ બનાવાનું કામ કરીશું લોક ડાઉન ને લીધે કામગીરી થઈ નથી.

(7:00 pm IST)