Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

NRG કમિટીના ચેરમેન તરીકે અમદાવાદના દિગંત સોમપુરાની પસંદગી

નોનરેસીડેન્‍ટ ગુજરાતી કમિટી (NRG)ના ચેરમેન તરીકે અમદાવાદના દિગંત સોમપુરાની પસંદગી કરવામાં આવી છે

ગુજરાત રાજયના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અંતર્ગત NRG ફાઉન્‍ડેશનની સ્‍થાપના કરવામાં આવી છે.ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને આર્થિક,વ્‍યાપારીક,સામાજીક અને શૈક્ષણીક જેવી બાબતોથી ગુજરાત સાથે સાંકળવાના હેતુ માટે NRG ફાઉન્‍ડેશનની રચના કરવામાં આવી છે. NRG ફાઉન્‍ડેશન દ્વારા રાજયના મુખ્‍ય શહેરોમાં NRG કમિટી કાર્યરત છે વેપારી સંગઠનો (ગુજરાત વેપારી મહામંડળ)ના સહયોગથી NRG ફાઉન્‍ડેશન NRG કમિટીનું સંચાલન કરીને બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત સાથે સાંકળે છે જેમા અમદાવાદના NRG કમીટીના ચેરમેન તરીકે દિગંત સોમપુરાની વરણી કરવામાં આવી છે.

દિગંત સોમપુરા અમેરિકા સ્‍થિત ભારતીય અખબારો અને વિશ્વભરના ગુજરાતી સંગઠનો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ યુકે દૂતાવાસમાં પણ રાજકીય સલાહકાર તરીકે કામ કરી ચૂક્‍યા છે.

(12:17 am IST)