Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આણંદ જિલ્લાના પલોલમાં કેરોસીનનો છટકાવ કરી હત્યાનો પ્રયાસ થતા અરેરાટી

આણંદ: જિલ્લાના સોજીત્રા તાબે પલોલ ગામે એક હત્યા કરવાના ઈરાદે થયેલ હુમલાએ ચકચાર મચાવી હતી. આ ઘટનામાં ગીરોએ ઘર રાખેલ વ્યક્તિએ તેની રકમ ચુક્તે કર્યા પહેલા ગીરો રાખનારને જીવતો સળગાવી નાંખવાનો પેતરો રચ્યો હતો. બે ઈસમોએ કેરોસીન છાંટી એક ઈસમની હત્યા કરવાનો પ્રયાસ કરતા આ મામલો સોજીત્રા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સોજીત્રાના ઈન્દીરા નગરીમાં રહેતા એક વ્યક્તિ પર હત્યા કરવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મુળ ડાલી હાલ પલોલની ઈન્દીરા નગરીમાં રહેતા નટુભાઈ ગોહેલ અને ગામમાં રહેતા કનુભાઈ ઉર્ફે કાભઈ ઉર્ફે કાળુ પરમાર અને જગદીશ શનાભાઈ પરમાર પાસેથી એક મકાન ગીરે રાખ્યું હતું. આ મકાન ગીરો લીધા બાદ નટુભાઈએ આ મકાનમાં પોતાનો સામાન મુક્યો હતો.આ સામાન ખસેડી લેવા અને મકાન ખાલી કરવા માટે આ ઈસમોએ ગીરોની રકમ આપ્યા સિવાય ઝઘડો કર્યો હતો. આ ઝઘડા બાદ બંન્ને ઈસમોએ કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યોે હતો. આ પ્રયાસ બાદ નટુભાઈએ સોજીત્રા પોલીસ મથકે હત્યાના ઈરાદે હુમલો કર્યાની એફઆઈઆર નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:24 pm IST)