Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઉમરેઠ તાલુકાના ધુળેટા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત: એકને ઇજા

ઉમરેઠ: તાલુકાના ઘુળેટા તાબે રામદેવપુરા રોડ ઉપરના વણાંક પાસે આજે સવારના દશેક વાગ્યાના સુમારે બે બાઈકો સામસામે ભટકાતા એકનું ઘટનાસ્થળે મોત થયું હતુ જ્યારે બીજાને ઈજાઓ થતાં તેને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના મીઠાપુર ગામે રહેતો રાજેન્દ્રસિંહ માનસિંહ ચાવડા આજે સવારના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-, એઈ-૪૬૨૮નું લઈને ઘુળેટા તાબે રામદેવપુરા રોડ ઉપર આવેલા ખેતરના વણાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક નંબર જીજે-૨૩, બીઆર-૧૧૫૦ અથડાતાં બન્ને ચાલકો રોડ પર પટકાયા હતા

(5:41 pm IST)