Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

આણંદ નજીક મોગરી ગામે મધ્યરાત્રીના સુમારે તસ્કરોએ નકુચા તોડી 4 મકાનને નિશાન બનાવી લાખોની મતાની ઉઠાંતરી કરી

આણંદ: નજીક આવેલા મોગરી ગામની નાની ભાગોળ ખાતેની આદિત્યવિલા સોસાયટીમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલી નકુચા તોડ ગેંગે ચાર મકાનોને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર જીટોડીયા જીલ્લા ન્યાયાલય ખાતે સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બાલુભાઈ અરવિંદભાઈ પંચોલી મોગરી ગામની નાની ભાગોળ ખાતે આવેલી આદિત્યવીલા સોસાયટીમાં રહે છે. ગત ૭મી તારીખના રોજ તેઓ પોતાની પત્ની સાથે વાપી ખાતે પોતાની સાસરીમાં ગયા હતા. તેમના ઘરે તેમના માતા ચન્દ્રીકાબેન એકલા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનનો નકુચો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ઉપલા માળે સુતેલા ચન્દ્રીકાબેનના રૂમના દરવાજાને બહારથી સ્ટોપર મારીને બંધ કરી દીધો હતો

(5:39 pm IST)