Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

નડિયાદ: ગળતેશ્વર મહાદેવ નજીક નદીમાં ન્હાવા લોકોનું ઘોડાપુર ઉમટ્યું: એકનું ડૂબી જવાના કારણે મોત

નડિયાદ:ગુજરાતના સુપ્રસિધ્ધ ઐતિહાસિક પર્યટક અને યાત્રાધામ એવા ગળતેશ્વર મહાદેવ ખાતે લોકોનુ ધોડાપુર ઉમટયુ હતુ.મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.ગુજરાતભરમાંથી કુદરતના ખોળે ન્હાવા માટે ઉમટી પડયા હતા.

જો કે મહીસાગર નદીમાં આવેલ મસાયણીયા પથ્થર પાસે  ઉંડા ધરામાં ચાર થી પાંચ યુવકો ન્હાવા માટે પડયા હતા.જેમાં પંચમહાલ જિલ્લાના  ડેરોલ ગામનો કમલેશકુમાર અર્જુનસિંહ બારૈયા ઉં.૨૦ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

(5:36 pm IST)