Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

મહુવા તાલુકામાં રાત્રીના સમયે ભેદી સંજોગોમાં ઓફિસમાં ફાયરિંગ કરી ખેડૂતની હત્યા

મહુવા:તાલુકાના આંગલધરા ગામની સીમમાં ખેડૂતના વજન કાંટા ઉપર રાત્રીના સમયે અજાણ્યા શખ્સે રિવોલ્વર જેવા હથિયારથી ૬થી રાઉન્ડ ફાયરીંગ કરી ખેડૂતની હત્યા કરી ભાગી ગયા હતા. પોલીસે તેના પિતા અને બંને બનેવી સહિત સંબંધીઓની પુછપરછ હાથ ધરી છે

ઘટના સ્થળેથી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, આંગલધરા ગામે આહીર ફળિયામાં સંજયસિંહ દિલીપસિંહ દેસાઈ (ઉં..૩૬), પત્ની કૃપા અને બે બાળકો અને પિતા દિલીપસિંહ દેસાઈ સાથે રહે છે. સંજયસિંહ ખેતી અને પોતાના ઘરની સામે આવેલી પોતાની જમીનમાં માંકૃપા વે બ્રીજ નામે વજનકાંટો ચલાવે છે

(5:36 pm IST)