Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બ્રહ્માકુમારીઝના પૂ.સરલાદીદીની અમદાવાદમાં શ્રધ્ધાંજલી સભાઃ સાંજે રાજકોટમાં

રાજકોટઃ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેકટર રાજયોગીની બ્રહ્માકુમારી પૂ.સરલાદીદીનું તાજેતરમાં જ દુઃખદ નિધન થયું છે. તેઓની અંતિમવિધિ માઉન્ટ આબુ ખાતે કરાવમાં આવેલ. આજરોજ સવારે અમદાવાદ ખાતે શ્રધ્ધાંજલી સભા યોજાએલ. જેમાં બહોળી સંખ્યામાં ભાઈ- બહેનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. દરમિયાન આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી રાજકોટ ખાતે પંચશીલ સોસાયટીના હોલમાં શ્રધ્ધાંજલી સભા રાખેલ હોવાનું જણાવાયું છે.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(4:09 pm IST)