Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બોટાદના બરવાળા નજીક એસટી બસ પલ્ટી ખાઈ જતા 12 લોકો ઘવાયા

ઉનાથી દાહોદ જતી બસને ધંધુકા ભાવનગર હાઇવે પર અકસ્માત નડ્યો

બોટાદના બરવાળા નજીક એસટી બસ પલટી મારી જતા 12 લોકોને ઇજા પહોંચી છે

 આ અંગે મળતી વિગત મુજબ ધંધુકા-ભાવનગર હાઈવે પર ઉનાથી દાહોદ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 12 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(9:58 pm IST)