Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

નીતિન પટેલને હોસ્પિટલમાંથી રજા : હજુ અઠવાડિયુ આરામની સલાહ

રાજકોટ તા. ૧૦ : રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ હવે  કોરોનામુકત બની ગયા છે અને મેડિકલ એડવાઇઝ મુજબ પોતાના  નિવાસસ્થાને  સંપૂર્ણ આરામ  લઈ રહ્યા છે. ૨૪ એપ્રિલના તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા  યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે અઠવાડીયાની સારવાર લીધા બાદ નીતિનભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. નીતિનભાઈએ ટ્વિટર ઉપર પોસ્ટ દ્વારા આ વિગતો આપી હતી. જેમાં લખ્યું છે, કે, દિવસથી યુ.એન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવ્યા બાદ આજે હોસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી છે.

ટ્વિટર ઉપરની પોસ્ટમાં નીતિનભાઈએ લખ્યું છે કે 'ભગવાનના આશીર્વાદ અને આપ સોની શુભેચ્છાથી હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. મારા પ્રત્યે શુભેચ્છા અને લાગણી બતાવવા બદલ આપ સર્વનો તથા યુ.એન મહેતા હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફનો હું આભારી છું. ડોકટરની સલાહ મુજબ હજુ મારે વધારે આરામની જરૂર હોઈ મને સહકાર આપવા સર્વેને વિનંતી.'

(1:14 pm IST)