Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

તલગાજરડામાં ગૌસેવા વિષે વાર્તાલાપ

પૂ. મોરારીબાપુ સાથે ડો. વલ્લભભાઇ કથીરીયાની ગોષ્ઠી-સંવાદ

રાજકોટ તા. ૧૦ : ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગૌસેવા ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાના માર્ગદર્શન હેઠળ તલગાજરડામાં ગૌસેવા વિષયક એક વાર્તાલાપ ગોઠવાયો હતો.

દરમિયાન રામાયણી કથાકાર સંતશ્રી પૂ. મોરારીબાપુની શુભેચ્છા મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. ગૌસેવાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની મહેચ્છાઓ વ્યકત કરી હતી. ગૌસંવર્ધન સહીતના તમામ કાર્યોની ચર્ચા પૂ. મોરારીબાપુ સાથે કરેલ.

સંવાદ દરમિયાન પૂર્વ ધારાસભ્ય સદ્દભાવના હોસ્પિટલના ટ્રસ્ટી ડો. કનુભાઇ કલસરીયા, બોટાદના પૂર્વ ધારાસભ્ય ડો. ટી. ડી. માણીયા, મોરબી આઇ હોસ્પિટલના સેવાભાવી આઇસર્જન ડો. વી. સી. કાતરીયા, લંડન સ્થિત ન્યુરો સર્જન ડો. રાજુભાઇ શુકલ પણ સાથે રહ્યા હતા.

(3:41 pm IST)