Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નવસારીના વિજલપોરમાં જૂથ અથડામણ મામલે 7 આરોપીઓની ધરપકડ

ભાજપના નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત અને મહિલા કાર્યકર્તા ફરાર

નવસારીના વિજલપોર શહેરમાં થયેલા જૂથ અથડામણ મામલે વિજલપોર પોલીસે ૭ આરોપીની કરી ધરપકડ કરી છે

વિજલપોર શહેરમાં બે દિવસ પહેલા થઈ હતી બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી  હજી ૯ આરોપી છે ફરાર જેમાં એક મહિલાનો પણ સમાવેશ થયા છે

  આ અંગેની વિગત મુજબ નવસારીને અડીને આવેલ વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે થયેલી જૂથ અથડામણ મામલે પોલીસે જૂથને કાબુ મેળવવા ૨૫ ટીયર ગેસ છોડવા પડયા હતા. નાના અમથા અકસ્માતે મોટુરૂપ પકડીને હંગામો મચાવી દીધો હતો. જેમા એક પોલીસકર્મી સાથે ૪ લોકોના માથા ફૂટ્યા હતા. જે મામલે પોલીસે આજે ૭ આરોપીને ઝડપ્યા છે. જેમાં ૯ આરોપી ફરાર થયા છે. ભાજપ નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત પણ અથડામણમાં સામેલ અને ભાજપની મહિલા કાર્યકર્તા પણ સામેલ હતી. નગરસેવક અને મહિલા કાર્યકર્તા પણ ફરાર થયા છે.

(11:10 pm IST)