Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

12મીએ આણંદ લોકસભાના એક મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન

સોજીત્રા વિધાનસભા મતવિભાગના 239-ધર્મજ-8 મતદાન મથકે ફેરમતદાન

 

અમદાવાદ :ગત 23 એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું, જેમાં એક દિવસે ગુજરાતની તમામ 26 26 સીટ પર મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક લોકસભા બેઠકના એક મતદાન મથકનું ફરીથી મતદાન કરવા માટે નિર્ણય કર્યો છે.

 ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી કિષ્ણાએ જાહેરાત કરી છે કે, આણંદ જિલ્લામાં એક મતદાન મથક પર ફરીથી મતદાન કરવામાં આવશે

જાહેરાત મુજબ લોકસભા ચૂંટણીનું આણંદ લોકસભા બેઠકની સોજીત્રા વિધાનસભા મતવિભાગના 239-ધર્મજ-8 મતદાન મથકનું ભારતના ચૂંટણી પંચે સને 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58(2) અન્વયે રદ્દ કર્યું છે.

લોકસભા બેઠકના એક મતદાન મથક પર હવે 12 મીએ રવિવારે ફરીથી મતદાન થશે. રવિવારે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન અહિંયા ફરીથી મતદાન કરવામાં આવશે.

(11:36 pm IST)