Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમદાવાદના કર્ણાવતી ક્લબના બાથરૂમમાં શૌચક્રિયા કરનાર ક્લબના સભ્યને છ મહિના સુધી કર્ણાવતી ક્લબમાં આવવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરના સૌથી ધનાઢ્ય લોકો જ્યાં આવતા-જતા રહે છે તેવા કર્ણાવતી ક્લબમાં બાથરુમમાં છીકરી જનારા એખ મેમ્બર પર ક્લબે છ મહિના સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. આ મેમ્બર હવે છ મહિના સુધી કર્ણાવતી ક્લબમાં એન્ટ્રી નહીં કરી શકે. જોકે, તેના પરિવારજનો ક્લબમાં આવી શકશે.

થોડા દિવસ પહેલા જ ક્લબના શાવરમાં કોઈ છીકરી જતું હતું. શાવરને ગંદુ કરનારો આ વ્યક્તિ કોણ છે તે શોધવા ક્લબે કાર્યવાહી શરુ કરી હતી, અને આખરે સીસીટીવી ફુટેજના આધારે આ વ્યક્તિની ઓળખ કરાઈ હતી. નિયમો અનુસાર, આ મેમ્બર સામે કાર્યવાહી કરવા માટે ક્લબના પ્રમુખ, વાઈસ પ્રેસિડેન્ડ, સેક્રેટરી જોઈન સેક્રેટરીની કમિટિની મંગળવારે બેઠક થઈ હતી, અને તેમાં આ નિર્ણય લેવાયો હતો.

ક્લબના પ્રમુખ જયેશ મોદીના જણાવ્યા અનુસાર, ક્લબના નિયમ મુજબ આ મેમ્બરને નોટિસ આપી તેને કમિટિ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું. આ મેમ્બરે ઘટના અંગે માફી પણ માગી હતી. આખરે મેમ્બર્સ અને ઓફિસ સ્ટાફ સાથે સલાહ-મસલત કરીને આ મેમ્બરને છ મહિના ક્લબમાં એન્ટ્રી ન કરવા દેવાની સજા અપાઈ હતી. જોકે, મેમ્બરના પરિવારજનો ક્લબમાં આવીજઈ શકશે.

મોદીએ જણાવ્યું હતું કે, આ મેમ્બરની કરતૂતથી ક્લબ શરમમાં મૂકાઈ છે, અને આવી કોઈપણ વર્તણૂંક ચલાવી લેવાય નહીં. અન્ય સભ્યોની લાગણીને ધ્યાનમાં રાખી આ કૃત્ય કરનારા મેમ્બરને સજા આપી દાખલો બેસાડાયો છે.

(5:44 pm IST)