Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કપડવંજ તાલુકાના આંતરોલીની નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ

કપડવંજ:તાલુકાના આંતરોલી સીમમાંથી નર્મદા નહેર પસાર થાય છે. જેમાં આંતરોલી કૈલાસનગર પુલ નજીક પાણીમાં આજે સવારે એક લાશ તરતી જોવા મળી હતી. આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં આંતરસુબા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશ બહાર કઢાવી હતી.

 


અજાણ્યો પુરુષ આશરે ૫૦થી ૫૫ વર્ષનો હોવાનું જણાઈ આવેલ છે. પરંતુ અજાણ્યો પુરુષ કોણ છે, તેણે આપઘાત કર્યો કે તણાઈ ગયો તે અંગેની કોઈ જાણકારી મળેલ નથી.

બનાવ અંગે શૈલેષભાઈ ગધાભાઈ રાઠોડ (રે. આંતરોલી)એ જાણ કરતાં આંતરસુંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)