Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આણંદ પંથકની ત્રણ યુવતીઓ અને બે મહિલાઓ લાપતા : શોધખોળ શરૂ

નોકરી કરવા ગયેલા ગામડીના મીનાબેન અને દર્શને ગયેલા સામરખાના જાનીબેન ગૂમ :તારાપુરની માનસી અને ચિખોદરાના ગીતાબેન તેમજ મેતપુરના રીનાબેન લાપતા

આણંદ પંથકમાં ત્રણ યુવતીઓ અને બે મહિલાઓ ગૂમ થતાં અને આ અંગે જે તે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. મળતી વિગત મુજબ આણંદના ગામડી ગામે આવેલા ભાથીજી ફળિયામાં રહેતી મીનાબેન રમણભાઈ વાઘેલા (ઉ. વ. ૨૪) ગત ૭મીના રોજ ઘરેથી ગાલા કંપનીમાં નોકરીએ જાઉ છું તેમ જણાવીને નીકળ્યા બાદ ગુમ થઈ છે  બીજા બનાવમાં સામરખા સ્વામીનારાયણ મંદિર પાસે રહેતી જાનીબેન કલ્પેશભાઈ પટેલ નામની ૨૧ વર્ષીય યુવતી ગત ૭મીના રોજ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જાઉ છું તેમ જણાવીને નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.

   જયારે ત્રીજા બનાવમાં તારાપુર ભીમનાથ મહાદેવ પાસે રહેતી ૧૯ વર્ષીય માનસીબેન અબાલાલ રાણા પણ  ગત ૭મી તારીખના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. ચોથા બનાવમાં ચીખોદરા વડલી બજારમાં રહેતી ગીતાબેન રાજેશભાઈ પરમાર નામની ૩૪ વર્ષીય મહિલા ગત ૨૬મી એપ્રિલના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી જ્યારે ખંભાત તાલુકાના મેતપુર ગામની રણછોડજીની ખડકીમાં રહેતી રીનાબેન દિપકભાઈ રાવળ નામની ૨૭ વર્ષીય મહિલા ૫મી તારીખના રોજ વડોદરા જવાનું જણાવીને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.

(12:04 pm IST)