Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કઠલાલના લસુન્દ્રામાં ગોચરમાંથી યુવક-યુવતીની લાશ મળતા ચકચાર :પ્રેમીપંખીડા હોવાની ચર્ચા

કઠલાલ તાલુકાના લસુંદ્રામાં નર્મદા કેનાલ નજીક આવેલ ગોચરમાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.આ બંને યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે બંનેની ઓળખ થઈ નથી

   આ બનાવ અંગે મહેન્દ્રભાઈ અંબાલાલ પટેલે જાણ કરતા કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અને મૃતકોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે 

(12:02 pm IST)