Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મરકઝના વધુ એક વ્યક્તિ પોઝિટિવ રહેતા ચિંતા....

૧૨ લોકો પોઝિટિવ આવ્યા : રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા

અમદાવાદ, તા. : રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૭ લોકોની ઓળખ કરાઈ છે. તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છેજે પૈકીના વધુ એક વ્યક્તિનો કેસ આજે પોઝિટિવ આવતા પોઝિટિવ લોકોની સંખ્યા ૧૨ ઉપર પહોંચી છે સિવાયના તમામને  હાલ  કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે ઉપરાંત, અન્ય એક ગ્રુપ 'સુરા ગ્રુપ''ના લોકોના પરીક્ષણ અને તપાસની કામગીરી પણ ચાલુ છે.

(9:10 pm IST)