Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

૬-ગાંધીનગર મતદાર વિભાગ માટે નિરીક્ષક તેમજ લાયઝન અધિકારીની વરણી થઇ

અમદાવાદ,તા.૧૦:    રાજ્યમાં આગામી ૨૩ એપ્રિલ-૨૦૧૯ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે.  આ ચૂટણી પ્રક્રિયાની કામગીરીની દેખરેખ તથા નિયંત્રણ માટે ૬-ગાંધીનગર લોકસભા મતદાર વિભાગ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષકની નિમણુક કરવામાં આવી છે. આ નિરીક્ષકને મદદરૂપ થવા લાયઝન અધિકારીઓની નિમણુક કરાઇ છે, એમ જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદી જણાવાયાનુસાર વિધાનસભા મતદાર વિભાગ ગાંધીનગર, કલોલ, સાણંદ માટે નિરીક્ષક તરીકે રાજકુમારની નિમણુક કરાઇ છે, લાયઝન અધિકારી માટે નીતિન રોહિતની વરણી થઇ. ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી વિધાનસભા મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે પ્રશાંત શુકલા અને લાયઝન અધિકારી તરીકે ડીએમ પંજવાણી અને રત્નમ આર આસિસ્ટન્ટ લાયઝન અધિકારી તરીકે કામ કરશે.

(9:42 pm IST)