Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પુણ્યતિથિ નિમિત્તે : રાજપીપળા ખાતે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા 150 જેવા દરિદ્રનારાયણોને નાસ્તાનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની સેવાભાવી શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા અવાર નવાર જરૂરિયાતમંદો ની તકલીફ માં સહભાગી થતી આવી હોય જેમાં એચઆઇવી,કેન્સર પીડિતો, વિધવાઓ સહિતનાઓને કપડાં,રેશન કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરતી હોય આજે રાજપીપળા નિવાસી સ્વ.જે.ડી.પટેલ(LIC,Deo)ની પુણ્યતિથિ હોય તે નિમિત્તે રાજપીપળા ખાતે ૧૫૦ જેવા દરિદ્રનારાયણોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાના કલ્પેશભાઈ મહાજન, રાકેશભાઈ પંચોલી તેમજ કમલેશભાઈ ચૌહાણ સાહિતનાઓએ આ સેવા પૂરી પાડી હતી

(10:43 pm IST)